Join WhatsApp Group Click Here
Join TET/TAT Group Click Here
Join Telegram Channel Click Here
ધોરણ 8 સામાજિક વિજ્ઞાન, એકમ - 6
સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1885 થી ઈ.સ. 1947)
1. રાષ્ટ્રવાદની ઉત્કટ ભાવનામાં કઈ સમાનતાનો ભાવ રહેલો છે ?
જવાબ : ભૌગોલિક અને સંસ્કૃતિક
2. અંગ્રેજ સરકારની આર્થિક શોષણની નીતિને કારણે ઉધોગ ધંધા પડી ભાંગતા દેશનો કયો વર્ગ બેરોજગાર બન્યો ?
જવાબ : કારીગર વર્ગ
૩. રાષ્ટ્રવાદના વિકાસમાં કોનો ફાળો અવિસ્મરણીય છે?
જવાબ : જાગ્રત વર્તમાનપત્રોનો
4. વર્નાક્યુલર પ્રેસ એકત કયા વાઇસરોયના સમયમાં પસાર થયો
હતો ?
જવાબ : લોર્ડ લીટનના
5. ઈલ્બર્ટ બીલ કયા વાઇસરોયના સમયમાં પસાર થયું હતું ?
જવાબ : લોર્ડ રીપનના
6. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં કયા નિવૃત્ત અંગ્રેજ અમલદારનો ફાળો મહત્વનો છે ?
જવાબ : એ.ઓ.હ્યુમનો
7. હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યારે મળ્યું હતું?જવાબ: 28 ડિસેમ્બર 1885
8. હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન કયા શહેરમાં મળ્યું હતું ?
જવાબ : મુંબઇમાં
9. હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં કેટલા પ્રતિનિધીઓએ હાજરી આપી હતી ?
જવાબ : 72
10. હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ?
જવાબ : વ્યોમેશચંદ્ર બેનરજી
11. બંગાળ બ્રિટીશ એસોસિએશનની સ્થાપના કયા શહેરમાં થઇ હતી ?
જવાબ : કોલકાતામાં
12. બોમ્બે એસોસિએશનની સ્થાપના કયા શહેરમાં થઇ હતી ?
જવાબ : મુંબઈમાં
13. મદ્રાસ નેટિવ સભાની સ્થાપના કયા શહેરમાં થઇ હતી ?
જવાબ : ચેન્નઈમાં
14. પુના સાર્વજનિક સભાની સ્થાપના કયા શહેરમાં થઇ હતી ?
જવાબ : પુણેમાં
15. ઇન્ડિયન એસોસિએશનની સ્થાપના કયા શહેરમાં થઇ હતી ?
જવાબ : કોલકાતામાં
16. બંગાળના ભાગલા કયા વાઇસરોયે પાડ્યા હતા?
જવાબ : લોર્ડ કર્ઝને
17. વાઈસરોય લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા કયા વર્ષમાં પાડ્યા હતા ?
જવાબ : ઈ.સ. 1905માં
18. કયા વાઇસરોયે ‘ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિ અપનાવી હતી ?
જવાબ : લોર્ડ કર્ઝને
19. બ્રિટીશ સરકારે બંગાળના ભાગલા ક્યારે રદ કર્યા ?
જવાબ : ઈ.સ. 1911માં
20. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ પ્રણેતા કોણ હતા ?
જવાબ : વાસુદેવ બળવંત ફડકે
21. કયા બે ચાફેકર ભાઈઓએ અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી ?
જવાબ : દામોદર અને બાલકૃષ્ણ
22.ઈ.સ. 1900 માં 'મીત્રમેલા' નામની ક્રાંતિકારી સંસ્થા કોને સ્થાપી હતી ?
જવાબ : વિનાયક સાવરકરે
23. ૧૮૫૭ : પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ પુસ્તક કોને લખ્યું હતું ?
જવાબ : વિનાયક સાવરકરે
24. કોલકાતામાં ‘અનુશીલન સમિતિ” નામની ક્રાંતિકારી સંસ્થાના મુખ્ય નેતા કોણ હતા ?
જવાબ : બારીન્દ્ર ઘોષ
25. કયા બે ક્રાંતિકારીઓએ ન્યાયાધીશ કિંગ્સફર્ડની હત્યા કરવાની યોજના ઘડી હતી ? જવાબ : ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ
26. હિંદુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ સ્વાતંત્ર્ય ચળવળો દરમિયાન કોને પૂરું પાડ્યું હતું ?જવાબ : અશકાક ઉલ્લાખાં અને રામપ્રસાદ બિસ્મિલે
27. કયા બે ક્રાંતિકારીઓએ કાકોરી ટ્રેન યોજનામાં મુખ્ય ભાગ લીધો હતો ?
જવાબ : અશકાક ઉલ્લાખાં અને રામપ્રસાદ
બિસ્મિલે
28. ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ કોણ હતું ? જ્વાબ : દુર્ગાભાભી
29. કયા સત્યાગ્રહી અલાહાબાદના આલ્ફ્રેડ બાગમાં અંગ્રેજો સાથેના સંઘર્ષમાં પોતાની જ પિસ્તોલથી શહીદ થયા હતા ?
જવાબ : ચંદ્રશેખર આઝાદ
30. કયા ક્રાંતીકારીએ લંડનમાં “ઇન્ડિયન હોમરુલ સોસાયટી સ્થાપી હતી?
જવાબ : શ્યામજી કૃષ્ણ વર્માએ
31. શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં કયું સામયિક શરુ કર્યું હતું ?
જવાબ : ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ
32. શ્યામજી કૃષ્ણ વર્માએ લંડમાં કઇ સંસ્થાની સ્થાપના કરી હતી ?
જવાબ : ઇન્ડિયન હોમરુલ સોસાયટી
33. શ્યામજી કૃષ્ણ વર્માએ સ્થાપેલી સંસ્થાના કાર્યાલય નું શું નામ આપ્યું હતું ?
જવાબ : ઇન્ડિયા હાઉસ
34. અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલીની હત્યા કોને કરી હતી ?
જવાબ : મદનલાલ ઢીંગરાએ
35. શ્યામજી કૃષ્ણ વર્મા લંડનથી પેરીસ ગયા બાદ લંડનમાં તેમની કામગીરી કોને સંભાળી ?
જવાબ : વિનાયક સાવરકરે
36. ઇ.સ.1902 માં મેડમ ભીખાઈજી રુસ્તમ કામાએ લંડનમાં કયું વર્તમાનપત્ર શરુ કર્યું હતું ? જવાબ : વંદે માતરમ
37. કયા કાંતિકારીએ પેરિસમાં સભાઓ ભરી અંગ્રેજી દમનનો વિરોધ કર્યો હતો ?
જવાબ : સરદારસિંહ રાણાએ
38. માનગઢ હત્યાકાંડ ક્યારે સર્જાયો હતો ? જવાબ : 17 નવેમ્બર 1913 ના રોજ
39. માનગઢ હત્યાકાંડ ક્યાં સર્જાયો હતો ?
જવાબ : ગુજરાત- રાજસ્થાન ની સરહદ પર
40. કયા હત્યાકાંડને આદિવાસીઓના બલીદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે છે ?
જવાબ : માનગઢ હત્યાકાંડને
41. માનગઢ ડુંગરના આદિવાસી વિસ્તારમાં ભગત ચળવળ કોણ ચલાવતું હતું ?
જવાબ : ગોવિંદ ગુરુ
42. ઈ.સ. 1914 માં વ્યારા આદિવાસી આંદોલન કયા જિલ્લામાં થયું હતું ?
જવાબ : તાપી
43.ઇ.સ. 1922 માં દઢવાવ આદિવાસી અંદોલન સાબરકાંઠાના કયા તાલુકામાં થયું હતું ?
જવાબ : વિજયનગર
44. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ક્યારે આવ્યા હતા ?
જવાબ : ઈ.સ.1915 માં
45. દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા બાદ ગાંધીજીએ કોની પ્રેરણાથી ભારતના મોટા ભાગના ભાગોનો પ્રવાસ કર્યો હતો ?
જવાબ : ગોપાલ કૃષ્ણ ગોખલે
46. ગાંધીજીએ ઈ.સ. 1915 માં કયા આશ્રમની સ્થાપના કરી હતી ?
જવાબ : કોચરબ આશ્રમની
47. ગાંધીજીના શરૂઆતના સત્યાગ્રહોના પરિણામે તેમને કયા કયા સાથીદારો મળ્યા?
જવાબ : વલ્લભભાઈ પટેલ અને રાજેન્દ્ર પ્રસાદ
48. ચંપારણ ક્યાં રાજ્યમાં આવેલું છે ?
જવાબ : બિહારમા
49. 19 મી સદીની શરૂઆતથી જ અંગ્રેજોએ ચંપારણમાં કયા પાકના બગીચા નાવ્યા હતા ? જવાબ : ગળીના
50. ચંપારણમાં ખેડૂતોને જમીન પર માત્ર ગળીની ખેતી કરવાની ફરજ પાડવામાં આવતી હતી, તે કઇ પદ્ધતિ તરીકે ઓળખાતી હતી ?
જવાબ : તીન કઠીયા
51. ચંપારણમાં ખેડૂતોને જમીન પર કયા પાકની ખેતીની ફરજ પાડવામાં આવતી હતી ?
જવાબ : ગળીના
52.ગાંધીજીએ બિહારમાં કર્યો સત્યાગ્રહ કર્યો હતો?
જવાબ : ચંપારણ સત્યાગ્રહ
53. ચંપારણના કયા ખેડૂતના આગ્રહથી ગાંધીજી મોતીહારી ગયા હતા ?
જવાબ : રાજકુમાર શુક્લના
54. ઈ.સ. 1917 માં અંગ્રેજ સરકારે કયા જિલ્લામાં મહેસુલ માફ કરવાને બદલે મહેસુલ ઉઘરાવાનું નક્કી કર્યું ?
જવાબ : ખેડા
55. “સરકાર આપણી માંગણી ના સ્વીકારે તો આપને મહેસુલ ભરવાનું નથી.” ગાંધીજીએ આ વિધાન ખેડૂતોને કયા સત્યાગ્રહ દરમિયાન કહ્યું હતું ? જવાબ : ખેડા સત્યાગ્રહ
56. ગાંધીજીએ ‘ડુંગળીચોર’નું બિરુદ કોને આપ્યું હતું ?
જવાબ : મોહનલાલ પંડ્યાને
57. અંગ્રેજ સરકારે રોલેટ એક્ટ ક્યારે પસાર કર્યો ? જવાબ : ઈ.સ.1919 માં
58. રોલેટ એક્ટને કાળો કાયદો કોને કર્યો ?
જવાબ : મહાત્મા ગાંધીએ
59. જલિયાવાલા બાગ કયા શહેરમાં આવેલો છે ? જવાબ : અમૃતસર
60. જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થતો હતો ? જવાબ : 13 એપ્રિલ, 1919 ના રોજ
🙏"આભાર" 🙏
જગદીશ વાઝા
No comments:
Post a Comment