JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

15 January 2023

NMMS પરીક્ષા ની સંપૂર્ણ માહિતી



NMMS- National Means-Cum-Merit Scholarship




Join NMMS Exam WhatsApp Group Click Here




NMMS પરીક્ષા ની સંપૂર્ણ માહિતી

.


⭐ N.M.M.S, પરીક્ષા શુ છે ?

 

N.M.M.S, પરીક્ષા એ કેન્દ્રિય શિક્ષણ મંત્રાલય, નવી દિલ્હી આયોજિત શિષ્યવૃતિ પરીક્ષા છે, જે દર વર્ષે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવે છે. આ પરીક્ષા ધો. ૮ માં અભ્યાસ કરતા સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિધાર્થીઓ જ આપી શકે છે.

 



⭐ અભ્યાસક્રમ:


👉 ધોરણ-૭ ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન (સંપૂર્ણ અભ્યાસક્રમ)


👉 ધોરણ-૮ ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન (પ્રથમ સત્રનો અભ્યાસક્રમ)



⭐ પ્રશ્નપત્ર:  


👉 પ્રશ્નપત્ર બે વિભાગમાં હોય છે. 


વિભાગ-૧ માનસિક યોગ્યતા કસોટી (MAT)


વિભાગ-ર શાળાકીય યોગ્યતા કસોટી (SAT)




પ્રશ્નપત્ર સ્વરૂપ:


👉 M.C.Q) પ્રકારના 180 પ્રશ્નો. જેના જવાબ 0.M.R. સીટમાં રાઉન્ડ કરીને પુરવાના હોય છે.


👉 ગુણભાર અને સમય MAT 90 ગુણ 90 મિનિટ


👉 SAT 90 ગુણ (ગણિત 20 ગુણ) (વિજ્ઞાન 35 ગુણ) (સામાજિક વિજ્ઞાન 35 ગુણ) 90 મિનિટ


👉 કુલ 180 ગુણ સમય 3 કલાક


 


⭐ શિષ્યવૃતિ મેળવવા માટે યોગ્યતા:


👉 આ પરીક્ષામાં મેરિટ પ્રાપ્ત કરનાર વિધાર્થીઓને જ શિષ્યવૃતિ મળવા પાત્ર થાય છે. બાકીના પાસ થયેલ વિધાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવે છે.


👉કેટલી શિષ્યવૃતિ મળે છે ? 


આ પરીક્ષામાં મેરિટ પ્રાપ્ત કરનાર વિધાર્થીઓને ધો.૯ થી ૧૨ વર્ષ સુધી દર વર્ષે રૂ. ૧૨૦૦૦/- લેખે ૪ વર્ષના ૪૮૦૦૦/- મળવાપાત્ર છે.



આવક મર્યાદા :


👉 વાલીની વાર્ષિક આવક ૧,૫૦,૦૦૦ થી વધારે ન હોવી જોઈએ,




⭐ પરીક્ષાનું માધ્યમ : 


👉 ગુજરાતી અથવા અંગ્રેજી





પરીક્ષા ફી:


👉 જનરલ અને બક્ષીપંચ વિધાર્થીઓ માટે ૭૦/- રૂપિયા 


👉 એસ.સી., એસ.ટી. અને દિવ્યાંગ વિધાર્થીઓ માટે ૫૦/- રૂપિયા 


👉 સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે,



ખાસ નોંધ:


👉 મેરિટ પ્રાપ્ત કરનાર વિધાર્થીઓનું રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતુ હોવું જરૂરી છે. 


👉 વિધાર્થીઓ ધો. ૯ થી ૧૨ સરકારી / ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતો હોવો જરૂરી છે. 


👉 વિદ્યાર્થીનું નામ આધાર ડાયસ, બેંક પાસબુક અને આધાર કાર્ડમાં એક સરખુ હોવું જરૂરી છે.










No comments:

Post a Comment