JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

11 December 2022

11 ડિસેમ્બર યુનિસેફ દિવસ

     11 ડિસેમ્બર યુનિસેફ દિવસ


         11 ડિસેમ્બર યુનિસેફ દિવસ તરીકે ઓળખાય છે. યુનિસેફ એ બાળકો માટે કામ કરે છે. આજે યુનિસેફની સ્થાપનાને 74 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. 11 ડિસેમ્બર 1946ના રોજ સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન્સ ઈમરજન્સી ફંડ (યુનિસેફ)ની સ્થાપના કરવામાં આવી હતી. 


         આજે 11 ડિસેમ્બર એટલે કે યુનિસેફ દિવસ યુનિસેફની સ્થાપનાને આજે 74 વર્ષ પૂર્ણ થયા. સંયુક્ત રાષ્ટ્રનું યુનિસેફ બાળકો માટે કામ કરે છે. બીજા વિશ્વયુદ્ધમાં બાળકોને મદદ કરવાનો ઉદ્દેશ હતો.

          

            યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 11 ડિસેમ્બર, 1946ના રોજ યુનિસેફની રચના સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન્સ ઈમરજન્સી ફંડ તરીકે કરી હતી. યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ)એ 11 ડિસેમ્બર, 2020ના રોજ તેની સ્થાપનાના 74 વર્ષ પૂર્ણ કર્યા છે. યુ.એન.રિલીફ રીહેબિલિટેશન એડમિનિસ્ટ્રેશન દ્વારા બીજા વિશ્વયુદ્ધથી અસરગ્રસ્ત બાળકોને મદદ કરવા સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ (આઈસીઈએફ) તરીકે બનાવવામાં આવ્યું હતું, પરંતુ પછીથી જનરલ એસેમ્બલીએ યુનિસેફને અસ્તિત્વમાં લાવવા ઠરાવના સ્વીકાર કર્યો હતો.



યુનિસેફ દિવસ: ઈતિહાસ

                    યુનિસેફ 190 દેશો અને પ્રદેશોમાં કાર્યરત છે. જેનો ઉદ્દેશ બાળકોના જીવને બચાવવા, તેમના હકોની રક્ષા કરવા અને કિશોરાવસ્થાથી પ્રારંભિક અવસ્થામાં તેમની શક્યતાઓને પૂર્ણ કરવામાં સહાયતા કરે છે.

            યુનિ.સી.આર.સી. અથવા સંયુક્ત રાષ્ટ્રસંઘએ યુનિસેફના કાર્યનો આધાર છે. અધિવેશનમાં 54 લેખનો સમાવેશ થાય છે. જેમાં બાળકના જીવનના તમામ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે અને નાગરિક, રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક હક નક્કી કરવામાં આવ્યા છે. જે તમામ બાળકોને હકદાર છે. આર્ટિકલ તે પણ સમજાવે છે કે, પુખ્ત વયના લોકો અને સરકારોએ સાથે મળીને કેવી રીતે કાર્ય કરવું. બધા બાળકો તેમના તમામ હકનો લાભ લઇ શકે. 

                આ સંસ્થા બાળકોના કિશોર વયના વિકાસ, વિમુખ થયેલા બાળકો, સંદેશાવ્યવહાર, લિંગ સમાનતા, બાળ સુરક્ષા, અપંગ બાળકોની સુરક્ષા, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન અને સામાજીકતાથી વંચિત બાળકો માટેના ક્ષેત્રમાં કાર્ય કરે છે.

                 બીજા વિશ્વ યુદ્ધ પછી બાળકોની સુરક્ષા માટે વર્ષ 1946માં સ્થાપના કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ યુરોપ, ચીન અને મીડલ ઇસ્ટમાં યુદ્ધગ્રસ્ત વિસ્તારોના ભૂખે મરનારા અને માંદા બાળકોને મદદ કરવાનો હતો.

                   યુનિસેફનો ધ્વજ વાદળી રંગનો છે અને તેમાં યુએન ધ્વજમાંથી ગ્લોબ અને ઓલિવ પાંદડાનો સમાવેશ કરાયો છે. તે વિશ્વના વર્તુળમાં માતા અને બાળકને પણ દર્શાવે છે.આ સંસ્થાનું મૂળ નામ યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઈમરજન્સી ફંડ રાખવામાં આવ્યું હતું. 1953માં, ‘આંતરરાષ્ટ્રીય’ અને ‘ઇમર્જન્સી’ એમ બે શબ્દો છોડી દેવાયા પણ ટૂંકું નામ ચાલુ રાખ્યું.યુનિસેફનું મુખ્ય લક્ષ્ય એ છે કે ‘દરેક બાળકને તંદુરસ્ત, સુખી અને સલામત બનવાની તક’ આપવી.સંગઠને ભારતમાં 1949માં 3 કર્મચારી સભ્યો સાથે પોતાનું કાર્ય શરૂ કર્યું અને 3 વર્ષ પછી દિલ્હીમાં એક ઓફિસની સ્થાપના કરી. હાલમાં તે 16 રાજ્યોમાં ભારતના બાળકોના અધિકારોની તરફેણ કરે છે.

                 વર્ષ 2018ના અહેવાલ મુજબ યુનિસેફે 27 મિલિયન બાળકો માટે આરોગ્ય સુવિધાઓમાં આપી હતી. 65.5 મિલિયન બાળકો માટે પેન્ટાવેલેન્ટ રસીના 3 ડોઝ, 12 મિલિયન બાળકો માટે શિક્ષણ અને ગંભીર કુપોષણવાળા 4 મિલિયન બાળકો માટે સારવાર પણ કરવામાં આવી.યુનિસેફનો સપ્લાય વિભાગ ડેનમાર્કના કોપનહેગન સ્થિત છે. તે એચઆઈવીવાળા બાળકો અને માતાઓ માટે રસી, એન્ટિરેટ્રોવાયરલ દવાઓ, ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સ, ઇમરજન્સી આશ્રયસ્થાનો, કૌટુંબિક પુન શિક્ષણ જોડાણ અને શૈક્ષણિક પુરવઠા જેવી આવશ્યક વસ્તુઓના વિતરણ માટે કામ કરે છે.

No comments:

Post a Comment