JV Digital Education

આ બ્લોગમાં હું શાળાના શિક્ષક અને વિધાર્થીઓને તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ મિત્રો માટે જનરલ નોલેજ અને તમામ વિષયનું મટીરીયલ, અન્ય શૈક્ષણિક માહિતી વધુને વધુ મળી રહે તેવી પોસ્ટ, વિડિયો અને PDF મટીરીયલ મુકવાનો ધ્યેય છે.

Breaking

12 December 2022

ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી

 ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી


               ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી (ઉપનામ: ધૂમકેતુ‌) (૧૨ ડિસેમ્બર ૧૮૯૨ - ૧૧ માર્ચ ૧૯૬૫) ગુજરાતી નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક-વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર, નાટ્યકાર તરીકે પ્રસિધ્ધ છે.



નામ: ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી

જન્મ: ૧૨ ડીસેમ્બર – ૧૮૯૨ ; વીરપુર – જલારામ

અવસાન: ૧૧ માર્ચ – ૧૯૬૫, અમદાવાદ

માતા: ગંગામા ; પિતા – ગોવર્ધનરામ

ભાઇ: રામજીભાઇ, અંબાશંકરભાઇ

પત્ની: કાશીબેન ૧૯૧૦

સંતાન: પુત્રી = ઉષા, પુત્ર = દક્ષિણ, અશ્વિન, ઘનશ્યામ




નોંધપાત્ર કૃતિ:

પોસ્ટ ઑફિસ તણખા મંડળ ભાગ ૧, ૨, ૩, ૪ (૧૯૨૬, ૧૯૨૮, ૧૯૩૨, ૧૯૩૫)


નોંધપાત્ર પુરસ્કારો:

રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૩૫; અસ્વીકાર)

નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૪૯)


અભ્યાસ:

મેટ્રિક –૧૯૧૪- પોરબંદર

બી.એ.- ૧૯૨૦ – બહાઉદ્દીન કોલેજ, જુનાગઢ


વ્યવસાય:

૧૯૦૭– મોટી કુંકાવાવ માં માસિક ૩/- રૂ. ના પગારથી સ્કૂલમાં

૧૯૨૦– ગોંડલ- ટ્રાફિક સુપરવાઇઝરની ઓફિસમાં

૧૯૨૦-૨૧– સંગ્રામજી હાઇસ્કૂલ અને ગર્લ્સ હાઇસ્કૂલમાં

૧૯૨૩– અમદાવાદમાં શેઠ અંબાલાલ સારાભાઇની ખાનગી સ્કૂલમાં

૧૯૨૫- અમદાવાદમાં ચીનુભાઇ બેરોનેટની ખાનગી સ્કૂલમા



રચનાઓ:

ઐતિહાસિક નવલકથા- ૨૯; સામાજિક નવલકથા- ૬; નાટક- ૨; વિવેચન/ સાહિત્ય સંશોધન- ૨; જીવન વિકાસનાં પુસ્તકો-૯; બાળસાહિત્ય- ૧૦ સેટ; નવલિકાઓ- ૧૭; આત્મકથા- ૨


મુખ્ય રચનાઓ:

નવલકથાઓ-અજિત ભીમદેવ, ચૌલાદેવી, ગૂર્જરપતિ મૂળદેવ; આમ્રપાલી, પ્રિયદર્શી અશોક

સામાજિક નવલકથા– પૃથ્વીશ

આત્મકથા– જીવનપંથ

નવલિકાઓ – તણખા મંદળ ભાગ ૧-૪, ધૂમકેતુની વાર્તાઓ ભાગ ૧-૧૧ વિવેચન – સાહિત્ય વિચારણા

જીવન વિકાસ – જિબ્રાનનું જીવન દર્શન

બાળસાહિત્ય – ઇતિહાસંની તેજમૂર્તિઓ


સન્માન:

૧૯૩૫ – રણજિતરામ સુવર્ણ ચંદ્રક ( અસ્વીકાર)

૧૯૫૩ – નર્મદ સુવર્ણચંદ્રક


➤ધૂમકેતુને ટૂંકીવાર્તાના કસબી તરીકે ઓળખવામાં આવતા હતા.


➤ધૂમકેતુ ટૂંકીવાર્તાને “તણખો” કહેતા હતા.


તેમણે ‘વિહારી’ તખલ્લુસથી કવિતા લખવાની શરૂઆત કરી હતી.


ધૂમકેતુએ લેખનકાર્યની શરૂઆત ધૂમકેતુ ઉપનામે સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ નવલકથા દ્વારા કરી હતી.


ગૌરીશંકર જોષીએ ગુપ્તયુગ, મૌર્યયુગ અને ગુજરાતના સોલંકી વંશને ધ્યાનમાં રાખી નવલકથાઓ લખી છે.


તેને કવિવર ટાગોરની ‘ગીતાંજલી’ નો અનુવાદ કર્યો હતો.


વિશ્વની ૧૦૦ શ્રેષ્ઠ વાર્તામાં પ્રથમ સ્થાન ધરાવનાર વાર્તા ધૂમકેતુની પોસ્ટ ઓફિસ છે.


પોસ્ટ ઓફિસનું The Letter નામે અંગ્રેજીમાં અનુવાદ થયો છે.


આ પોસ્ટ ઓફિસ વર્તમાનમાં ગોંડલમાં હયાત છે.


ઉમાશંકર જોષીએ તેમને ગુજરાતી સાહિત્યના “અનસ્ત ધૂમકેતુ” કહ્યા છે.



No comments:

Post a Comment

Vidhyasahayak Bharati 2026 update, શિક્ષક ભરતી , TET, Merit, Waiting, Cutoff, 1 થી 5 શિક્ષક ભરતી, 6 થી 8 શિક્ષક ભરતી, Teacher Job, Tet 1, Tet 2,

  Vidhyasahayak Bharati 2026 શિક્ષક ભરતી 1  થી 5 શિક્ષક ભરતી જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી...